દિનચર્યા । DINCHARYA । Author : Dr. Devangi Jogal and Nilesh Jogal
દિનચર્યા । DINCHARYA । Author : Dr. Devangi Jogal and Nilesh Jogal
Couldn't load pickup availability
આજના યુગમાં દિનચર્યાની વાત કરવી એ સાવ આઉટડેટેડ લાગે. આજથી માત્ર 50 વર્ષ પહેલાં જે જીવનક્રમ હતો એ પણ આજે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. સવારથી સાંજ સુધી થતી પ્રવૃત્તિઓ, કામકાજના પ્રકાર, ખાનપાનની ટેવો, વ્યવસાય. વસ્ત્રો; આ બધું જ ધરમૂળથી સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, તો આયુર્વેદની આદર્શ દિનચર્યો, જે હજારો વર્ષ પહેલાં કહેવાઈ છે એનું મૂલ્ય આજની જીવનશૈલીના સંદર્ભમાં કેટલું?
આ પ્રશ્ન સ્વાભાવિક છે. પુસ્તક લખતાં પહેલાં એ મૂંઝવણ અમારી પણ હતી, પણ આપણે એ ન ભૂલીએ કે શરીર બદલાયું નથી, સૂર્ય, ચંદ્ર અનેપૃથ્વીની ગતિમાં કોઈ ફેરફારો થયો નથી. માણસનાં શરીરવિજ્ઞાન એટલે કે, એનોટોમીમાં પણ કોઈ જ ફેરફારો થયા નથી; તો સ્વસ્થ રહેવા કે માંદા પડવાનાં કારણોમાં ફેરફારો કેવી રીતે થઈ શકે? આ મૂળભૂત સિદ્ધાંતથી પ્રેરિત થઈને આ પુસ્તક લખાયું છે.
– ડૉ. દેવાંગી જોગલ । નિલેશ જોગલ
